ભાવનગર-ધોળા રેલ્વે લાઈન
ભાવનગર-ધોળા જંકશન વિભાગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ભાવનગર-ધોળા રેલ્વે લાઇન એ ભાવનગર રાજ્યની ભાવનગર સ્ટેટ રેલ્વે દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે.
વિગત
[ફેરફાર કરો]આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વેક્ષણ અને બાંધકામના આદેશો અનુક્રમે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા.[૧] આ રેલ્વે-લાઇનના બાંધકામ માટે ભાવનગર અને ગોંડલ રાજ્યો દ્વારા બ્રિટીશ સરકારને ઠેકો આપવામાં આવ્યો હતો અને કામની દેખરેખનું કામ એક સમિતિ કરતી હતી.[૧] ઉત્તર દિશાના ભાવનગરથી વઢવાણ વાયા ધોળા વિભાગ અને પશ્ચિમ દિશાના ધોળાથી ઢસા વિભાગના બાંધકામનો ખર્ચ ભાવનગર રાજ્ય દ્વારા અને ઢસાથી ધોરાજી સુધીના બાંધકામનો ખર્ચ ગોંડલ રાજ્ય દ્વારા ભોગવવામાં આવ્યો હતો.[૧] જ્યારે બાંધકામ થયું ત્યારે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં સમાવેશ કરવામાં હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરિવર્તન થઇ ચુક્યું હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ભાવનગર-ધોળા રેલ્વે લાઇન ભાવનગર ટર્મીનસથી શરૂ થઇ ૪૯ કિલોમીટરનું અંતર કાપીને ધોળા જંકશન પર પુરી થાય છે. જેમાં વચ્ચે સિહોર પાસેથી પાલીતાણા જતો ફાંટો અલગ પડે છે.
અન્ય માહિતી
[ફેરફાર કરો]- ભાવનગર શહેરના ગઢેચી વિસ્તારમાં રેલ્વેને લગતા શિક્ષણ માટે એક અનુદાન સહાય મેળવતી શાળા પણ સ્થાપવામાં આવી.[૨]. આ શાળાને ૧૮૮૫-૮૬ના વરસ માટે ૧૧૫ ઇમ્પેરીયલ રૂપીયાની આર્થિક મદદ ફાળવવામાં આવી હતી[૨] ઉપરાંત વરસ દરમ્યાન શાળા-કર્મચારીઓના આવાસો બનાવવા માટે ૫૫૪૬ ઇમ્પેરીયલ રૂપિયાના ખર્ચને સમિતિએ માન્ય રાખ્યો હતો.[૨].
- કાર્યરત થયાના દિવસથી ૩૧ ડીસેમ્બર ૧૮૮૫ના દિવસ સુધી શરુઆતના સસપેન્સ બેલેન્સ સહિત કુલ ભંડોળ ૯૬,૨૫,૦૩૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩] જેમાંથી ૬૭,૪૧,૦૨૪ રૂપિયા ભાવનગર રાજ્યનો ભાગ હતો અને ૨૮,૮૪,૦૦૭ રૂપિયા ગોંડલ રાજ્યનો ભાગ હતો.[૩].
- લાઇનની કુલ લંબાઇ ૧૯૨.૩૧ માઇલ થતી હતી. એથી દરેક માઇલ દીઠ ભંડોળ ૪૮,૫૫૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલું.[૩]
- કુલ વાર્ષિક ખર્ચ ૩,૩૨,૯૯૧ ઇમ્પેરીયલ રૂપિયા થયેલો. જેમાં પુલને ખુલ્લો મુકવાનો, પ્લેટ-પાથરવાવાળા માટેના ઘર બનાવવાનો, કાયમી કાર્યાલયના બાંધકામનો, કર્મચારીઓના ઘરના બાંધકામનો, ગઢેચી અને ઘોળા એ બંને જગ્યાએ પાણીની ટાંકી અને પરબના બાંધકામનો, ૪ નવા બીજા દરજ્જાના કેરેજ અને ૪૦ બોગી બનાવવાનો ખર્ચ સામેલ છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ કર્નલ એફ. એસ., સ્ટેનટન (૧૮૮૬). "એપેન્ડીક્ષ ઈ". એડમિનિસ્રટ્રેશન રીપોર્ટ ઓન ધ રેલવેઝ ઇન ઈન્ડીયા ફોર ૧૯૮૫-૮૬. સુપરીટેન્ડન્ટ ઓફ ગવર્મેંન્ટ પ્રિંટીંગ, બ્રિટીશ ભારત. પૃષ્ઠ ૩૪, ૨૮૧.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ કર્નલ એફ. એસ., સ્ટેનટન (૧૮૮૬). "૨". એડમિનિસ્રટ્રેશન રીપોર્ટ ઓન ધ રેલવેઝ ઇન ઈન્ડીયા ફોર ૧૯૮૫-૮૬. સુપરીટેન્ડન્ટ ઓફ ગવર્મેંન્ટ પ્રિંટીંગ, બ્રિટીશ ભારત. પૃષ્ઠ ૭.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ કર્નલ એફ. એસ., સ્ટેનટન (૧૮૮૬). "૪". એડમિનિસ્રટ્રેશન રીપોર્ટ ઓન ધ રેલવેઝ ઇન ઈન્ડીયા ફોર ૧૯૮૫-૮૬. સુપરીટેન્ડન્ટ ઓફ ગવર્મેંન્ટ પ્રિંટીંગ, બ્રિટીશ ભારત. પૃષ્ઠ ૬૦.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]Text is available under the CC BY-SA 4.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.